Posts

Showing posts from April, 2021

मेरा गाँव ✍️ Mishikwrites

Image
  सुबह से शाम  मेरे गाँव में कुछ इस तरह गुज़रती थी, पापा की डांट से शुरू होकर माँ की लोरी पर रूकती थी, उलझे दोस्तों के संग हर मसले चाय पर सुलझते थे... मसले तो अब भी है इस शहर में, बस न उलझे हुए दोस्त है और नाही वह गाँव है| ~ Mishika  #mishikawrites

આજનું જનરલ નોલેજ :- ➜ વિષય : સાહિત્ય

Image
  1. સાઈલન્સ ઝોન – નિબંધસંગ્રહનાં લેખક કોણ છે ? Ans : ગુણવંત શાહ 2. રે મઠ નું મુખપત્ર કયું છે ? Ans : કૃતિ 3. ઉપરવાસ નવલકથાના લેખક કોણ છે ? Ans : રઘુવીર ચૌધરી 4. ’૧૧ દરિયા’ કોની રચના છે ? Ans : મનહર મોદી 5. ‘સૂર્ય પુરુષ’ નવલકથા ગુજરાતના ક્યાં રાજકીય નેતાના જીવન પર આધારિત છે ? Ans : ચીમનભાઈ પટેલ 6. ‘બોલ વ્હાલમના’ લોકપ્રિય ગીતના કવિ કોણ છે ? Ans : મણીલાલ દેસાઈ 7. ક્યાં કવિ ‘દગ્ધ કૃષિ કવિ’ તરીકે ઓળખાય છે ? Ans : રાવજી પટેલ 8. ‘ઓડીસ્યુસનું હલેસું’ નાં કવિ કોણ છે ? Ans : સિતાંશુ યશચંદ્ર 9. ‘માણસની વાત’ દીર્ધકાવ્યના કવિ કોણ છે ? Ans : લાભશંકર ઠાકર 10. પરિક્રમા કાવ્યસંગ્રહના કવિ કોણ છે ? Ans : બાલમુકુંદ દવે 11. ‘કબીરવડ’ કાવ્યના કવિ કોણ છે ? Ans : નર્મદ 12. પ્રેમસખી કોનું ઉપનામ છે ? Ans : પ્રેમાનંદ સ્વામી 13. સત્યકામ અને રોહિણી કઈ નવલકથાના પાત્રો છે ? Ans : ઝેરતો પીધા છે જાણી જાણી 14. ‘સોનેરી ચાંદ, રૂપેરી સુરજ’ કેવા પ્રકારના કાવ્યોનો સંગ્રહ છે ? Ans : હાઇકુ 15. ‘વૈંશપાયન’ કોનું ઉપનામ છે ? Ans : કરસનદાસ માણેક 16. ‘ધરાગુર્જરી’ નું સાહિત્યસ્વરૂપ કયું છે ? Ans : નાટક 17. ભીમો અને ચંદા કઈ નવલકથ...

પિપાસા ✍️ દક્ષા ઠાકર 'દક્ષુ

Image
જીવ...જગત .. ઈશ્વરને જાણું! મને ના કોઇ પિપાસા બાકી.. રંગમંચ ની આ દુનિયામાં! આવી ભજવવા પાત્ર મારું.. જન્મ ધર્યો, બન્યા સંબંધો! નિભાવતી રહી આ સંબંધોને.. જાણું છું સઘળું મિથ્યા છે! તો પણ માનવ સહજ! તરલ હ્રદય થાય મીણ.. અને! જ્ઞાનની પિપાસા..  વધતી રહે..વધતી રહે.. દક્ષા ઠાકર 'દક્ષુ' ખાસ નોંધ - લખાણ ના બધા વિચારો લેખક ના પોતાના છે .

પ્રણય ✍️ નલિની પંડ્યા "નંદિની"

Image
  કમળની પાંદડીઓમાં  ભમરાનું  પુરાવુ.... કદાચ પૂરાવો છે પ્રણયનો...!!!! મધમાખીના સ્પર્શ માત્રથી, ફૂલનું મહોરી ઉઠવું.... કદાચ પૂરાવો છે પ્રણયનો....!!!   હા... કોઇ બોલાવે તને  'ને હોંકારો મારાથી અપાય...!!  કદાચ.. પૂરાવો છે પ્રણયનો...!!! ઊંઘ મારી... તારા સપનાં... વિરહમાં તારા.... મારા ઉજાગરા.. તારી ગેરહાજરીમાં મારુ ન હોવું, એ જ પૂરાવો છે પ્રણયનો....!! અને.. જો ને ઘર મૂકી... મૂકી મૈયર ને પાદર મૂક્યું... તારા માટે.. અરે... પરિવાર આખું પાછળ  મૂક્યું...!!! આનાથી વિશેષ હોય કોઇ પૂરાવો પ્રણયનો...???? નલિની પંડ્યા "નંદિની" ✍🏻 - ખાસ નોંધ - લખાણ ના બધા વિચારો લેખક ના પોતા ના છે.