" આજ નાં દિકરા " ✍️ કવિયત્રી : અવની શિવાંગ દવે ( શિવે સ્વરી), વડોદરા
શિર્ષક : " આજ નાં દિકરા "
"અડસઠ તીરથ કરવાની નથી મારી ઈચ્છા,
મૃત્યુ પછી પહોંચાડો સ્મશાને તે જ છે મહેચ્છા".
"માં - બાપ ને ઘરડાઘર માં મૂકી રહે છે રે,
આજનાં દિકરા સાફ - સુધરા,
જ્યારે ઘરમાં માં - બાપ,
જેટલું માન પામે છે રે કૂતરાં."
જે માં - બાપ ના ઉપકાર ને વાળે છે અપકાર થી,
તે આપે છે આવકારો નિષ્ફળતા ને સત્કાર થી.
છે માં - બાપ ના સંતાનો પર અનેક ઋણ,
નથી સંતાનો માં તેને ચૂકવવાનો ગુણ.
સંતાનો માટે માં - બાપ અર્પણ કરે છે રે જાન,
છે તેમની ઈચ્છા બસ,આપે સંતાનો તેમને માન.
" આજે છે માં - બાપ નો દાવ,
તો કાલે આવશે સંતાનો નો વારો,
થાય છે મન માં કે પાર રે પડી માં - બાપ ની નાવ,
પણ ! સંતાનો ને ક્યાંથી મળશે આરો"?
" કળિયુગ ની આ માયા થી ત્રસ્ત છે રે આ ' અવની '
અરે ! આ તો છે, કરમ - કથા ભવ - ભવની."
કવિયત્રી : અવની શિવાંગ દવે ( શિવે સ્વરી), વડોદરા.
"અડસઠ તીરથ કરવાની નથી મારી ઈચ્છા,
મૃત્યુ પછી પહોંચાડો સ્મશાને તે જ છે મહેચ્છા".
"માં - બાપ ને ઘરડાઘર માં મૂકી રહે છે રે,
આજનાં દિકરા સાફ - સુધરા,
જ્યારે ઘરમાં માં - બાપ,
જેટલું માન પામે છે રે કૂતરાં."
જે માં - બાપ ના ઉપકાર ને વાળે છે અપકાર થી,
તે આપે છે આવકારો નિષ્ફળતા ને સત્કાર થી.
છે માં - બાપ ના સંતાનો પર અનેક ઋણ,
નથી સંતાનો માં તેને ચૂકવવાનો ગુણ.
સંતાનો માટે માં - બાપ અર્પણ કરે છે રે જાન,
છે તેમની ઈચ્છા બસ,આપે સંતાનો તેમને માન.
" આજે છે માં - બાપ નો દાવ,
તો કાલે આવશે સંતાનો નો વારો,
થાય છે મન માં કે પાર રે પડી માં - બાપ ની નાવ,
પણ ! સંતાનો ને ક્યાંથી મળશે આરો"?
" કળિયુગ ની આ માયા થી ત્રસ્ત છે રે આ ' અવની '
અરે ! આ તો છે, કરમ - કથા ભવ - ભવની."
કવિયત્રી : અવની શિવાંગ દવે ( શિવે સ્વરી), વડોદરા.

Comments
Post a Comment