શીર્ષક : ગુરુપૂર્ણિમા ✍️ લિ. ગજાનંદ સોની અમદાવાદ
આપણા જીવન માં જેટલું મહત્વ મા બાપ નું છે એના કરતા વધારે એક ગુરુ નું છે એવું જો કહીયે તો ખોટું નથી
મા બાપ તો જન્મ આપે છે અને ઉછેરે છે પણ જીવન ને કેવી રીતે જીવવું કેવી રીતે સફળતા પ્રાપ્ત કરવી એ આપણને ગુરુ જ શીખવાડે
ગુરુ નો સાચો અર્થ શું ?
મોટા ભાગે લોકો એજ વિચારે ગુરુ એટલે શિક્ષક પરંતુ આ તો માત્ર એક સમાનાર્થી શબ્દ છે
પોતાનું કારકિર્દી કેવી બનાવવી એ મુજબ આપણાં શિક્ષક નક્કી થાય છે પણ જીવન માં હારી જાવો ત્યારે શું કરવું ત્યારે સાચી દિશા તો ગુરુ જ આપે
અને આ ગુરુ દરેક પાસે હોય છે અને આ છે જીંદગી ના અનુભવ, પોતાના માં રહેલી હકારાત્મક શક્તિ અને પોતાનો આત્મવિશ્વાસ
આ ગુરુ ની જરૂર આપણને હંમેશા પડતી હોય છે
આજે તમે દુનિયા ના ઘણા મહાનુભાવો ની આત્મકથા જોશો તો ખ્યાલ આવે કે આ લોકો કેવી રીતે આજે સફળ થયા છે અને યુગો યુગો સુધી એમને યાદ રાખવામાં આવે છે
માટે તમે પોતાના માં રહેલા ગુરુ ને ઓળખશો તો પોતાનું અને પોતાના પ્રિયજનો નુ જીવન સફળ બનાવશો
લિ. ગજાનંદ સોની
અમદાવાદ

Comments
Post a Comment